ગણઘર ભગવંતો એ ગુંથેલા સૂત્રોમાં જીવન જીવવા ની કલા છુપાયેલી છે.
નવકાર વડે શું બાવા-ફકીર-સંન્યાસી-મોલવી-પાદરી વગેરે બધા સાધુઓને નમસ્કાર થાય ?
‘૩૬ ગુણો વાળા ગુરુ જ મારા ગુરુ છે, ‘ તેવું શા માટે ?
જયણાપૂર્વક સુપડીમાં કીડીઓ લઈને રસ્તાની સામેના ઝાડ નીચે કાળજી થી મૂકીએ તો પણ તે હિંસા ?
પથ્થરની ગાય જો દૂધ ન આપી શકે તો પથ્થરના ભગવાન મોક્ષ કે સુખ કઈ રીતે આપી શકે ?
આવા તો અઢળક સવાલોના યુક્તિસંગત જવાબો અને પ્રત્યેક સૂત્ર પાછળ છુપાયેલા રહસ્યોને જાણવા,
ક્રિયાઓને જીવંત બનાવવા તથા શાસન પ્રત્યે નો અહોભાવ વધારતાં સૂત્રોના રહસ્યો ભાગ ૧ – ૨ અવશ્ય વાંચવા જોઈએ.